દિલ્હીને Driverless Metro ની ભેટ, PM મોદીએ કહ્યું- 2025 સુધીમાં 25 શહેરોમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોને લીલી ઝંડી બતાવી. પહેલા તબક્કામાં ડ્રાઈવરલેસ મેટ્રો મજેન્ટા લાઈન પર જનકપુરી પશ્ચિમથી નોઈડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન સુધી દોડશે.

દિલ્હીને Driverless Metro ની ભેટ, PM મોદીએ કહ્યું- 2025 સુધીમાં 25 શહેરોમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્ય

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોને લીલી ઝંડી બતાવી. પહેલા તબક્કામાં ડ્રાઈવરલેસ મેટ્રો મજેન્ટા લાઈન પર જનકપુરી પશ્ચિમથી નોઈડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન સુધી દોડશે. ત્યારબાદ તેને આગળ પણ વધારવામાં આવશે. દેશની પહેલી ડ્રાઈવરલેસ ટ્રેન દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઈન અને પિંક લાઈન પર દોડવાની છે. આ અવસરે  પીએમ મોદીએ કહ્યું કે મને આજથી લગભગ 3 વર્ષ પહેલા મજેન્ટા લાઈનના ઉદ્ધાટનનૌ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આજે ફરીથી આ રૂટ પર દેશની પહેલી ઓટોમેટેડ મેટ્રોનું ઉદ્ધાટન કરવાની તક મળી. જે દર્શાવે છે કે ભારત કેટલી ઝડપથી સ્માર્ટ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે. 

અમદાવાદનો કર્યો ઉલ્લેખ
તેમણે કહ્યું કે આજે નેશનલ કોમન મોબિલિટી કાર્ડથી પણ મેટ્રો જોડાઈ રહી છે. ગત વર્ષે અમદાવાદથી તેની શરૂઆત થઈ હતી. આજે તેનો વિસ્તાર દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર થઈ રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે થોડા દાયકા પહેલા જ્યારે urbanisationની અસર અને urbanisation નું ભવિષ્ય બંને બિલકુલ સ્પષ્ટ હતું ત્યારે તે સમયે એક અલગ જ વલણ દેશે જોયું. ભવિષ્યની જરૂરિયાતોને લઈને એટલું ધ્યાન નહતું. અડધા પડધા મનથી કામ થતું હતું. ભ્રમની સ્થિતિ રહેતી હતી. આ સોચથી અલગ આધુનિક વિચારધારા એમ કહે છે કે શહેરીકરણને પડકાર ન માનીને એક અવસરની જેમ ઉપયોગ કરવામાં આવે. એક એવો અવસર જેમાં આપણે દેશમાં સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકીએ છીએ. એક એવો અવસર જેમાં આપણે Ease of Living વધારી શકીએ છીએ. સોચનું આ અંતર શહેરીકરણના દરેક આયામને દર્શાવે છે. 

2014માં ફક્ત 5 શહેરમાં મેટ્રો
પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2014માં દેશમાં ફક્ત 5 શહેરોમાં મેટ્રો ટ્રેન હતી. આજે 18 શહેરોમાં મેટ્રો રેલ સેવા છે. વર્ષ 2025 સુધીમાં અમે તેનો 25થી વધુ શહેરોમાં વિસ્તાર આપવાના છીએ. RRTS મેટ્રો સિસ્ટમ દિલ્હી અને મેરઠના અંતરને ઘટાડીને એક કલાકથી ઓછું કરી નાખશે. એવા શહેરો કે જ્યાં મુસાફરો ઓછા છે ત્યાં મેટ્રો લાઈટ વર્ઝન પર કામ ચાલે છે. જે સામાન્ય મેટ્રોના કુલ ખર્ચના 40 ટકા ખર્ચમાં તૈયાર થઈ જાય છે. જ્યારે જે શહેરોમાં મુસાફરો તેના કરતા પણ ઓછા છે ત્યાં મેટ્રો નિયો પર કામ ચાલુ છે. જે સામાન્ય મેટ્રોના ખર્ચની સરખામણીએ તેના 25 ટકા ખર્ચમાં જ તૈયાર થઈ જાય છે. એ જ રીતે વોટર મેટ્રો પણ આઉટ ઓફ ધ બોક્સ વિચારનું ઉદાહરણ છે. 

आज 18 शहरों में मेट्रो रेल की सेवा है।

वर्ष 2025 तक हम इसे 25 से ज्यादा शहरों तक विस्तार देने वाले हैं।

- पीएम श्री @narendramodi pic.twitter.com/VfQD9aDKIf

— BJP (@BJP4India) December 28, 2020

મેટ્રો સર્વિસિસના વિસ્તાર માટે મેક ઈન ઈન્ડિયા મહત્વપૂર્ણ
પીએમ મોદીએ કહ્યું કે મેટ્રો સર્વિસિસના વિસ્તાર માટે મેક ઈન ઈન્ડિયા મહત્વપૂર્ણ છે. તેનાથી ખર્ચ ઓછો થાય છે, વિદેશી મુદ્રા બચે છે, અને દેશમાં જ લોકોને વધુમાં વધુ રોજગાર મળે છે. રોલિંગ સ્ટોકના Standardization થી દરેક કોચનો ખર્ચ હવે 12 કરોડ રૂપિયાથી ઘટીને 8 કરોડ પર પહોંચ્યો છે. આજે ચાર મોટી કંપનીઓ દેશમાં જ મેટ્રો કોચનું નિર્માણ કરી રહી છે. અનેક કંપનીઓ મેટ્રો કમ્પોનન્ટ્સના નિર્માણમાં લાગી છે. તેનાથી મેક ઈન ઈન્ડિયાની સાથે, આત્મનિર્ભર ભારત અભિયાનને મદદ મળી રહી છે. આધુનિકીકરણ માટે એક પ્રકારના માનક અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ખુબ જરૂરી છે. રાષ્ટ્રીય સ્તર પર કોમન મોબિલિટી કાર્ડ આ દિશામાં એક મોટું પગલું છે. તમે જ્યાં પણ મુસાફરી કરો, તમે જે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટથી મુસાફરી કરો, આ એક કાર્ડ તમને integrated access આપશે. 

એક ભારત-શ્રેષ્ઠ ભારતને મજબૂત કરાઈ રહ્યું છે.
તેમણે કહ્યું કે આજે તમામ વ્યવસ્થાઓને એકીકૃત કરીને દેશની તાકાત વધારવામાં આવી રહી છે. એક ભારત શ્રેષ્ઠ ભારતને મજબૂત કરાઈ રહ્યું છે. વન નેશન, વન મોબિલિટી કાર્ડની જેમ જ વીતેલા વર્ષોમાં આપણી સરકારે દેશની વ્યવસ્થાઓના એકીકરણ માટે અનેક કામ કર્યા છે. One Nation, One Fastag થી દેશભરમાં હાઈવે પર ટ્રાવેલ સીમલેસ થયું છે. વન નેશન, વન ટેક્સ એટલે કે જીએસટીથી દેશભરમાં ટેક્સની જાળ સમાપ્ત થઈ છે. વન નેશન, વન પાવર ગ્રિડથી દેશમાં દરેક ભાગમાં પૂરતી અને સતત વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ રહી છે. વીજળીનું નુકસાન પણ ઓછું થયું છે. 

અત્રે જણાવવાનું કે પહેલા તબક્કામાં આ ડ્રાઈવરલેસ ટ્રેન મજેન્ટા લાઈન પર જનકપુરી પશ્ચિમથી નોઈડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન સુધી દોડશે. ત્યારબાદ વર્ષ 2021માં પિંક લાઈનમાં 57 કિલોમીટર સુધી ડ્રાઈવરલેસ મેટ્રો દોડાવવાની યોજના છે. જે મજલિસ પાર્કથી શિવ વિહાર સુધીનું અંતર કાપશે. આ જ પ્રકારે કુલ 94 કિલોમીટર સુધી ડ્રાઈવરલેસ ટ્રેનો દોડાવવાની યોજના છે. સામાન્ય ટ્રેનોની જેમ આ ડ્રાઈવરલેસ ટ્રેનમાં પણ 6 કોચ હશે. દિલ્હી મેટ્રોએ ડ્રાઈવરલેસ ટ્રેનને એક મોટી ટેક્નિકલ ઉપલબ્ધિ ગણાવી છે. ડીએમઆરસી છેલ્લા લગભગ 3 વર્ષથી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની ટ્રાયલ કરી રહ્યું હુતં. દિલ્હી મેટ્રોએ પહેલીવાર સપ્ટેમ્બર 2017માં તેની ટ્રાયલ શરૂ કરી હતી. ડ્રાઈવરલેસ ટ્રેનમાં 6 કોચ હશે, આ ટ્રેનમાં 2280 મુસાફરો પ્રવાસ કરી શકે છે. જેમાં દરેક કોચમાં 380 મુસાફરો સવાર થઈ શકશે. 

— ANI (@ANI) December 28, 2020

ડ્રાઈવરલેસ ટ્રેનમાં 6 કોચ હશે, આ ટ્રેનમાં 2280 મુસાફરો પ્રવાસ કરી શકે છે. જેમાં દરેક કોચમાં 380 મુસાફરો સવાર થઈ શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news